આણંદપર (રાજકોટ) થી ચોરી કરેલ હોવાની કબુલાત
વાંકાનેર: મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે કડક સુચના આપવામાં આવેલ છે. વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજા તેમજ તેની ટીમ કામ કરી રહી છે,


તેવામાં વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલાને સયુકત બાતમી આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના બાઇક સાથે પકડ્યો હતો અને બાઈકના ચેસીસ નંબર પોકેટકોપમાં નાખીને ચેક કરતાં તે બાઇક નવાગામ આણંદપર (રાજકોટ) ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને ચોરાઉ બાઇક સાથે આરોપી સોયબ અયુબભાઇ બ્લોચ રહે. પચ્ચીસ વારીયા ગેબનશા પીરની દરગાહ પાસે વાંકાનેર વાળાને હસ્તગત કરેલ છે અને આ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ છે…
