ગુજરાતમાં ૫૫ ટકા ડોક્ટર શાબ્દિક હિંસાચારનો શિકાર
કોરોનામાં ડોક્ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી
મુંબઇ: ડોક્ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્ટર દર્દીને રોગમુક્ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ હોય છે. સમાજમાં ડોક્ટરોની ભુમિકાની કદર કરવા દર વર્ષે ભારતમાં ૧લી જુલાઈના રોજ ‘રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ બદલાયેલા સમયની સાથે લોકોનો ડોક્ટરો તરફ જોવાનો નજરીયો બદલાયો છે.
દર્દી કે સગા-સંબંધીઓની ડોક્ટરો તરફની વધુ પડતી અપેક્ષા તેમજ આરોગ્ય સંબંધી અપૂરતી માહિતી તથા જાગૃતિના અભાવે ડોક્ટર પર થતા હુમલાના બનાવો વધી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અંક સરવે પ્રમાણે ૭૫ ટકા ડોક્ટર તેમના જીવન દરમિયાન દર્દી કે તેના સગા-સંબંધીના દુરવ્યવહારનો ભોગ બને છે. કેરળમાં દર મહિને પાંચ ડોક્ટરો પર હુમલો થાય છે. ૨૦૧૯માં ડોક્ટરો પર થતા હુમલાનો વિરોધ કરતા વેસ્ટ બંગાળના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ માસ રેઝીગ્નેશન આપવા સુધીની તેયારી દર્શાવી હતી. વર્તમાન સમયમાં
પ્રેક્ટીસ કરતા ડોક્ટરો સૌથી વધુ તણાવ અનુભવે છે. જેની પાછળનું એક કારણ દર્દીનો ડોક્ટર પરનો ઘટી રહેલો ભરોસો છે. જેને લીધે નવા ડોક્ટરોને પણ નાની વયે તણાવગ્રસ્ત વાતાવરણમાં કામ કરવું પડે છે.
ડોક્ટરો પર ભરોસો રાખનારા દર્દીની વહેલી રિકવરી
કોરોના જેવી મહામારીમાં ડોક્ટરોએ પોતાના જીવની પરવા કર્યા વગર રાત-દિન લોકોની સેવા કરી હતી. જેમાં ઘણા ડોક્ટરોના મૃત્યુ પણ થયા છે. એક ઓબ્ઝર્વેશન એવું છે કે. જે દર્દી તેમના ડોકટરો પર ભરોસો અર્થાત વિશ્વાસ રાખે છે. તેવા દર્દીઓની રીકવરી વહેલી થાય છે. જેથી આપણી હેલ્થકેર સુવિધાને સારી મનાવવા માટે દર્દીને ડોક્ટર પર ભરોસો રાખવો ખુબ જરૂરી છે.
સમાન કાયદાની માંગ વર્ષોથી પડતર
ડોક્ટરો પર થતા હુમલા ડોક્ટરોની સંવેદનાને હચમચાવી મળકે છે. હુમલા અટકાવવા માટે કાયદો છે. પણ હવે એક સમાન કાયદો હોવો જોઈએ એવી માંગ છે અને આ માંગ વર્ષોથી ચાલી આવી છે. ડોક્ટરોને સલામતી મળી રહેશે. ત્યારે ખરા અર્થમાં ડોક્ટર્સ દિવસની ઉજવણી સાર્થક ગણાશે. ડોક્ટરો હંમેશા દર્દીનું હિત વિચારતા હોય છે, તે દર્દી અને સગાએ વિચારવું જરૂર છે.
ગુજરાતમાં ૫૫ ટકા ડોક્ટર શાબ્દિક હિંસાચારનો શિકાર બને છે. જ્યારે પ ટકા ડોક્ટરો પર હુમલા થાય છે. આમ, દર્દી કે સગા-સબંધીના દુરવ્યવહારનો ભોગ બનેલા હોસ્પિટલના ૯પ ટકા ડોક્ટર માને છે કે. આ પરિસ્થિતિ માટે સિકયરિટી અને કાયદા-કાનૂનનો અભાવ જવાબદાર છે. આ ઉપરાત દર્દી કે સગા-સબંધીઓની ડોક્ટરોની તરફની વધુ પડતી અપેક્ષા તેમજ આરોગ્ય સંબંધી અપુરતી માહિતી તથા જાગૃતિનો અભાવ પણ કારણભૂત છે. આ માટે દેશના વિવિધ તબીબ સંગઠનોએ પણ તબીબને સુરક્ષા મળે તે માટેની વ્યવસ્થા કરવા વખોતોવખત સરકારમાં રજુઆત કરી છે.