સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય
વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે.
જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે.
વાવાઝોડું બિપરજોયના સંભવિત ખતરાને ધ્યાને રાખી રેલવે દ્વારા સાવચેતીના પગલા રૂપે સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી
137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા 90 ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.
જ્યારે 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલવામાં આવ્યા છે. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.