કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોમ્પ્યુટર ઓપરેટર દિગ્વિજયનગરના યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબી પાર્સલ લઇ પરત ફરતા સમયે વઘાસિયા ટોલનાકા નજીક બનેલો બનાવ

વાંકાનેર : છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. વાંકાનેરથી ઇકો કારમાં મોરબી આવી રહેલા યુવાનને હાર્ટ એટેક આવી જતા કાળનો ભેટો થઈ ગયો હતો. 

મળેલી માહિતી મુજબ દિગ્વિજયનગરના ખાનગી શાળાના કોમ્પ્યુટર ઓપરેટર નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા, ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા. 

જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો.કોમ્પ્યુટર ઓપરેટર દિગ્વિજયનગરના યુવાનનું હાર્ટ એટેકથી મોત

Content Copying Forbidden !!

error: Content is protected !!