મચ્છુ ડેમ-2 માંથી મળેલ માનવ કંકળ રાતીદેવડી પ્રસંગે આવેલા બાળકના હોવાનું વાલી વારસદારોનું માનવાનું છે
વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાતી દેવડી ગામ ખાતે 2019 માં અમદાવાદથી મામાના ઘરે પ્રસંગિક કાર્યક્રમ અંતર્ગત આવેલા બાળકનું પાણીમાં તળાઈ જતા આજ સુધી તેનો પતો ચાલેલ નથી, જેથી રાતી દેવડી ગામે મામાના ઘરે આવેલા મૂળ અમદાવાદના બાળક જે તે સમયે 2019 માં તણાઈ જતા શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નથી, જે તાજેતરમાં જ રફાળેશ્વર મચ્છુ ડેમ -2 ખાતે મળેલ માનવ કંકાલની જાણ થતાં વાલી વારસદારોનું અનુમાન છે કે તે માનવ કંકાલ તે પાણીમાં તળાયેલા બાળકનું હોઈ શકે તે દિશામાં પોલીસે તપાસ કરવી જરૂરી બન્યું છે….
જેમાં પ્રાપ્ત વિગત અનુસાર 2019 માં મૂળ અમદાવાદના રામપ્રસાદની ચાલી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ગણપતભાઈ સાગઠીયા જેઓ રાજાભાઈ પોપટભાઈના ભાણેજ પોતાના મામાના ઘેર વાંકાનેરના રાતીદેવડી ખાતે પસંદગીક કાર્યક્રમમાં આવેલ હોય તે સમયે આશરે ઉંમર 17 થી 18 હોય જેને RFP ની ટીમ બોટ લઈને ડેમ સુધી બે દિવસ સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ મૃતદેહ મળેલ ન હોય જેથી તાજેતરમાં જ ડેમ પાસે માનવ કંકાલ મળી આવેલ હોય તેથી તે મૂળ અમદાવાદના અને રાતીદેવડીના ભાણેજનું કદાચ હોઈ શકે તેવું હાલ રાતીદેવળીના રમેશભાઈ વોરાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ હતું.