વાંકાનેર: વાંકાનેરથી મોરબી તરફ જતા રેલ્વે ટ્રેક પર રેલ્વે લાઈન નંબર ૦૭ પાસે આજે વહેલી સવારે માલગાડી ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 40 વર્ષીય ઉંમરના પુરુષનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનામાં વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની રેલવે તરફથી મળેલી માહિતી મુજબ વાંકાનેરથી મોરબી તરફ જતા રેલવે ટ્રેક પર રેલ્વે સ્ટેશનના યાર્ડ નજીક રેલવે લાઈન નંબર ૦૭ પાસે આજે માલગાડી ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 40 વર્ષિય પુરુષનું મોત થયેલ છે. આ બનાવમાં રેલ્વે પોલીસ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા તપાસ ચલાવી રહ્યા છે.ઉપરોક્ત ફોટા વાળા મૃતકની કોઈ જાણતા હોય તો ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મો. 6352635525 પર સંપર્ક કરવો…