25 વર્ષના યુવાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાધો
વાંકાનેર: અહીંના જીનપરા શેરી નંબર 13 માં રહેતા યુવાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો

જાણવા મળ્યા મુજબ જીનપરા શેરી નંબર 13 માં રહેતા ગણપતભાઈ વીરજીભાઈ કુમખાણીયા (ઉ.25) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર એકલો હતો દરમિયાન કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને 


આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે…
