વઘાસીયા અને હસનપરમાં મારામારી
વાંકાનેર: તાલુકાના નવા ગારીયા ગામે રહેતા વિશાલ ગોરધનભાઈ માલકીયા (ઉ.20) ને રાત્રીના નવેક વાગે ઘરે આવી રહ્યા હતા, ત્યારે શેરીમાંથી સાપ કરડી ગયો હતો, અને સારવાર માટે મોરબી લઇ જવાયો હતો. સફળ સારવાર બાદ ઘરે આવી ગયા છે, તેઓ બે ભાઈઓ છે.
વઘાસીયા અને હસનપરમાં મારામારી
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે મારામારીમાં ઈજા થતા અખિલેશ સુનિલભાઈ નિસર (ઉ.18)ને સારવાર માટે મોરબી લઈ જવાયો હતો. બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના હસનપર ગામે મારામારીમાં ઈજા થતા વિપુલ મધુભાઈ વિંજુવાડીયા (ઉ.26)ને પણ સારવાર માટે મોરબી લઈ જવાયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ હતું…
