મરણ જનાર ડ્રાઇવર તરીકે છૂટક મજૂરી કરતા હતા
વાંકાનેર: અહીંના જીનપરા જકાતનાકા નજીક રેલ્વે ઓવરબ્રિજ પહેલા રાત્રિના વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવર તરીકે છૂટક મજૂરી કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની જાણકારી મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવેના રેલ્વે ઓવરબ્રીજ પહેલા રેલ્વે ટ્રેક પર કીમી નં. ૩૦૨/૩૬ પાસે મોડી રાત્રીના નિર્મલભાઈ કિરીટભાઇ સોલંકી (ઉ.વ. ૩૭, રહે. ગૌશાળા રોડ, જીનપરા, વાંકાનેર) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હેડ કો. ધર્મેન્દ્રસિંહ આર. જાડેજા ચલાવી રહ્યા છે…