સર્વોચ્ચ અદાલત અવલોકન કર્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઇજાને કારણે લાંબા સમય પછી પીડિતાનું મૃત્યુ થાય તો તેના કારણે હત્યાના કેસમાં આરોપીની જવાબદારીથી ઓછો થતો નથી. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે છત્તીસગઢ હાઇકોર્ટ સામે દોષિતોની અરજી પર સુનાવણી કરતી વખતે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.
સુનાવણી દરમિયાન, અપીલકર્તાઓના વકીલે કહ્યું કે હુમલાના 20 દિવસ પછી પીડિતાનું મૃત્યુ થયું હતું. આ દર્શાવે છે કે હુમલા દરમિયાન થયેલી ઇજા મૃત્યુનું કારણ નથી. પીલીસના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2012માં આરોપીઓએ પીડિતાની વિવાદિત જમીનને જેસીબી વડે સમતળ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના મૃત્યુ પછી, પીડિતાના સંબંધીઓએ અપીલકર્તાઓ સામે ફોજદારી કેસ નોંધ્યો હતો.
આરોપીએ દલીલ કરી હતી કે પીડિતનું મૃત્યુ કથિત ઘટનાના આશરે વીસ દિવસ પછી થયું હતું અને તેના કથિત હુમલાને કારણે નહીં, પણ શસ્ત્રક્રિયામાં મુશ્કેલીઓને કારણે થયું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પ્રશ્ન એ છે કે શું અપીલકર્તાઓ હત્યાના ગુના માટે દોષિત છે. ક્લમ 302 હેઠળ સજાપાત્ર છે અથવા શું તેઓ ઓછી ગંભીર ક્લમ 304, IPC હેઠળ ગુનાહિત રીતે જવાબદાર છે.
આ કોર્ટને એ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી દેખાતી નથી કે અપીલકર્તાઓ હુમલાખોરો હતા, તેઓએ કુહાડીઓથી નિઃશસ્ત્ર વ્યક્તિ પર હુમલો કર્યો હતો, એમ બેન્ચે જણાવ્યું હતું. તે કહે છે કે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે ઇજાઓ સખત અને મંદ વસ્તુને કારણે થઇ હતી અને મૃતકનું મૃત્યુ કાર્ડિયો-શ્વસન નિષ્ફળતાને કારણે થયું હતું. આ નિષ્ફળતા તેના શરીર પર ઇજાઓ અને તેમની જટીલતાના પરિણામે થઈ હતી સર્વોચ્ચ અદાલતે અપીલઅપીલકર્તાઓની દલીલ સ્વીકારી ન હતી કે અચાનક ઝઘડાને કારણે મૃત્યુ થયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે અપીલકર્તાઓ કુહાડીઓથી સજ્જ હતા, જે મૃતકને નુકસાન પહોંચાડવાની તેમની ઇરાદો દર્શાવે છે.
હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા. બેન્ચે અવલોકન કર્યું કે તે બે નજરે જોનાર સાક્ષીઓની જુબાની પરથી પ્રસ્થાપિત થયું હતું કે જ્યારે મૃતક તેની મિલક્ત પર સેપ્ટિક ટાંકી સમતળ કરી રહ્યો હતો. ત્યારે આરોપી અપીલકર્તાઓએ તેની સાથે ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તેમને આમ ન કરવા કહ્યું. પરંતુ બાજુની દિવાલ પર ચઢી પીડિતાના ઘરમાં ઘર્સી કુહાડી વડે હુમલો કર્યો હતો..