અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર સામે કડક પગલા: રાઘવજી પટેલ
આવા કૃત્ય કરનારા વેપારીઓ અને ઓઇલ મિલોમાં દરોડા પાડી ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની પશુપાલન મંત્રીની ખાતરી
મોરબી : રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે.
પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે ફોજદારી પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં ભરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, આજે ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો