કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ચોખામાં જોરશોરથી ભેળસેળ જોવા મળી રહી છે

પ્લાસ્ટિકના ચોખા હોવાની ગ્રાહકો માટેની છ નિશાનીઓ જાણો

        વાંકાનેરમાં પણ પ્લાસ્ટિકના ચોખા વેંચતા હોવાની લોકચર્ચા છે, આજકાલ ચોખામાં જોરશોરથી ભેળસેળ જોવા મળી રહી છે. પ્લાસ્ટિકના ચોખા રાંધ્યા પછી પણ તમે સમજી શકતા નથી કે તે નકલી છે કે અસલી. પ્લાસ્ટિક ચોખા માત્ર આપણા સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, કેન્સર જેવા ખતરનાક રોગને પણ આમંત્રણ આપે છે. આ સાંભળ્યા પછી ગભરાશો નહીં, આજે અમે તમને અસલી-નકલી ચોખાને ઓળખવાની સરળ રીત જણાવી રહ્યા છીએ.

        બાસમતી ચોખાની ઓળખને સુગંધિત ચોખા કહેવામાં આવે છે, જે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં થાય છે. આ ચોખા બારીક સુગંધ સાથે પારદર્શક અને ચમકદાર છે. તેને બનાવ્યા બાદ ચોખાની લંબાઈ બમણી થઈ જાય છે. આ ચોખા રાંધ્યા પછી પણ ચોંટતા નથી, પણ થોડા ફૂલી જાય છે. આ વિશેષતાને કારણે તેને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

ખબર કેમ પડે કે આ પ્લાસ્ટિકના ચોખા છે:

        (1) એક વાસણમાં ચોખાના કેટલાક નમૂના રાખો. તેમાં ચૂનો અને પાણી મિક્સ કરીને ઘોલ બનાવો. હવે આ દ્રાવણમાં ચોખાને પલાળી રાખો અને થોડી વાર રહેવા દો. જો થોડા સમય પછી ચોખાનો રંગ બદલાઈ જાય અથવા રંગ નીકળી જાય તો સમજવું કે આ ચોખા નકલી છે.

                (2)  અગ્નિમાં થોડા ચોખા નાખો, જો સળગતી વખતે પ્લાસ્ટિક સળગતી હોય તેવી દુર્ગંધ આવે તો સમજવું કે તે પ્લાસ્ટિકના ચોખા છે.

                (3) જો ચોખાને ખાવા માટે ગરમ તેલમાં નાખવામાં આવે તો તે પીગળવા લાગે છે.

                (4) જ્યારે આ ચોખાને પાણીમાં નાખવામાં આવે છે, ત્યારે તે તરતા લાગે છે.

                (5) પ્લાસ્ટિકના ચોખાને ઉકાળ્યા પછી કન્ટેનરનો ઉપરનો ભાગ જાડા પડ જેવો દેખાય છે.

                (6) આ સિવાય એક રીત એ છે કે ચોખાને રાંધ્યા પછી તેને થોડા દિવસો માટે આ રીતે જ રહેવા દો, જો પ્લાસ્ટિકના ચોખા હોય તો તેમાંથી દુર્ગંધ નહીં આવે કારણ કે તે સડતા નથી.

                લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા અને પ્લાસ્ટિકના ચોખા વેચવા એ ગુન્હો છે, ગ્રાહકો આ માટે ગાંધીનગર ઉચ્ચ અધિકારીને જાણ કરી દરોડો પડાવી શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!