જિલ્લામાં 15 નાયબ મામલતદાર અને 10 કલાર્કની ફ્લડ કંટ્રોલ સહિતની જગ્યાએ બદલી
વાંકાનેર: લોકસભા ચૂંટણી 2024ની કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા કલેકટર દ્વારા 25 નાયબ મામલતદાર અને કલાર્કની બદલી કરવામાં આવી છે, વહીવટી સરળતા માટે મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડું, પુર અને
અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલાં લેવા માટે રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા માટે તારીખ 1 જૂનથી 30 નવેમ્બર સુધી જિલ્લા કક્ષાએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર માટે તથા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં આવી
છે. જેમાં નાયબ મામલતદાર બી.આર. ડોડીયા, એસ.બી.ત્રાંબડીયા, મોરબી (ગ્રામ્ય), કે.એમ.રોય. ટંકારા, એચ.એમ.પરમાર, વાંકાનેર, એચ.જી. મારવાણીયા, માળીયા (મી.), ડી.એચ.સોનાગ્રા હળવદ, એચ.એમ.બારીયા, મોરબી (ગ્રામ્ય), પી.એચ.પરમાર, મોરબી, ઓ.એન.જાડેજા, કલેકટર કચેરી મોરબી, પી.આર. ગંભીર- શિરસ્તેદાર પ્રાંત કચેરી મોરબી,
આર. કે.સોલંકી, મામલતદાર કચેરી ટંકારા, બી.એસ.પટેલ -શિરસ્તેદાર પ્રાંત કચેરી વાંકાનેર એસ.જે. ઠુંમર, મોરબી, એસ.એ. કણઝરીયા, વાંકાનેર, જી.વી. મનસુરી, વાંકાનેર, એસ.એ. ઝાલાને ઇમરજન્સી રિસોપોન્સ સેન્ટરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ક્લાર્ક જે.બી.લીખિયા, એચ.એમ.ભુત, એસ.ડી.કોરીંગા, બી.પી.પટેલ, વી.આર. વોરા, પી.ડી. ખોખાણી, બી.જે. જાડેજા, પી.એસ. જાડેજા, સી.પી.પટેલ અને એન.એસ. સોલંકીને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી અલગ અલગ કચેરીમાં ફરજ સોંપવામાં આવી છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો