હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન
વાંકાનેર: તાલુકાના ગારીડા ગામના ટેકરા ઉપર પીર સૈયદ અબ્દુલ્લાશા પીરની દરગાહ ખાતે રામ રહીમ કમીટી દ્વારા બીજા (દ્વિતીય) સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્નમાં નવ મુસ્લિમ તથા બે હિન્દૂ નવદંપતિઓ લગ્ન બંધનથી જોડાયા હતા.





તમામ દંપતિઓને ઘરવખરીની ૧૨૭ જેટલી આઈટમો ભેટ તરીકે અપાઇ હતી. બાદ તમામ હાજર રહેલા લોકોને સામુહિક પ્રસાદ બાંટવામાં આવ્યો હતો, તેમ અબ્દુલશા પીરના મુજાવર તેમજ આયોજક મુસ્તફાબાપુએ જણાવ્યું છે. ઉપરોકત કાર્યક્રમ અબ્દુલશાહ પીર યંગ કમિટી તથા સહયોગી રામ રહિમ ફાઉન્ડેશન બેનર તળે આયોજન કરાયું હતું.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
