વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે રોડ પર નર્સરી ચોકડી પાસેની કટમા વાહન અકસ્માતમાં હસનપરના વૃદ્ધનુ મોટર સાયકલ બીજા મોટર સાયકલ સાથે અથડાતા મૃત્યુ નીપજેલ છે.
બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રીક્ષા ડ્રાઈવીંગ કરતા હકાભાઈ સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉ.વ. ૩૦) રહે. હશનપર રેલ્વે સ્ટેશનની બાજુમા તા. વાંકાનેરવાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ ૧૬/૦૬/૨૦૨૪૨૦૨૪ના રોજ સવારના ફરિયાદીના પિતા સતાભાઈ પાંચાભાઈ
મુંધવા (ઉ.વ.૭૪) વાળા મોટરસાયકલ હીરો હોંન્ડા સ્પ્લેન્ડર રજી નં. GJ-3-AF-8199 લઈ ઘરેથી વાંકાનેર ગયેલ, ત્યારે તેમના પિતા સતાભાઈના મોબાઈલ નંબર પરથી કોઈ અજાણ્યા માણસનો ફોન આવેલ અને વાત કરેલ કે પિતાજીનુ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ
પર નર્સરી ચોકડી પાસેની કટમા વાહન અકસ્માત થયેલ છે. જેથી બનાવ સ્થળે પહોંચતા પિતાનુ મોટરસાયકલ તથા તેની સાથે અકસ્માત કરનાર મોટરસાયકલ રજી.નંબર.GJ-36-AH-0689 વાળુ સ્પ્લેન્ડર પણ ત્યાં રોડ પર પડેલ હતુ અને ત્યા હસનપરના દીલીપભાઈ હઠાભાઈ
ગમારા હાજર હતા, અને ૧૦૮ એમ્બયુલન્સમાં બેભાન હાલતમાં વાંકાનેર સરકારી દવાખાને અને પછી રાજકોટ લઇ ગયેલ હતા, સારવાર દરમ્યાન એમનું મોત નીપજેલ છે.