અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરાયું
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.




જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની વાડીએ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મિટીંગમાં જ્ઞાતિજનોની પાંખી હાજરી હોવાથી જ્ઞાતિનાં ઉપસ્થિત આગેવાનો દ્વારા આ વર્ષે જ્ઞાતિ ભોજન રદ કરી માત્ર આરતી કરી પ્રસાદ વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરવાનો ઠરાવ પણ કરી નાખવામાં આવતાં સમગ્ર વાંકાનેર પંથકનાં ખવાસ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે.