કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધાંગધ્રા- વાંકાનેર- રાજકોટ બસ બંધ કરાતા રોષ

ધારાસભ્યએ મૌખિક તેમજ ટેલીફોનીક અનેકવાર રજૂઆત કરવા છતાં નિભંર એસટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી

હળવદ: આ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અમુક અધિકારીઓના પાપે બંધ કરી દેવામાં આવી છે અનેક વાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મૌખિક તેમજ ટેલીફોનિક રજૂઆત કરવા છતાં આજ દીન સુધી આ એસટી તંત્ર જાગતું નથી આ બસ બંધ થતા છેલ્લા ઘણા વર્ષોથી એક માત્ર બસ ધાંગધ્રા વાયા વાકાનેર હળવદ ચાલતી હતી, જે સવારે ધાંગધ્રાથી ૭.૦૦ ઉપડતી હતી અને આવકમાં રાજકોટથી બપોરના ૧.૦૦ વાગે ઉપડતી;

જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડતી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા અચાનક છેલ્લા ઘણા સમયથી બસ બંધ કરી દેતા છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીમાં નોકરી ધંધો ધર સામાન ખરીદી માટે મુશ્કેલીનું સામનો કરવો પડે છે છેવાડાના વિસ્તારમાં ગામડામાં જતી એકમાત્ર બસ અચાનક બંધ થતા ગ્રામ્ય વિસ્તારના લોકો રખડી પડ્યા છે, કાળજાળ ગરમીમાં ન છૂટકે સટલ રિક્ષા સહિત પેસેન્જર ગાડીઓનો સહારો લેવો પડી રહ્યો છે, જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, છેવાડાના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે,

ધાંગધ્રા હળવદ વાંકાનેર રાજકોટ મથકને જોડતી એકમાત્ર બસ બંધ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને હળવદ બસ સ્ટેન્ડ ઉદઘાટન વખતે રૂબરૂ રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં બસ ચાલુ ન કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળે છે, મજાક પુરતી એક બે દીવસ ચાલુ કરી બંધ કરી દેવામાં આવી છે, શું હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય એક માત્ર બસ પણ ચાલુ નથી કરાવી શકતા? એવી પણ શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે, જો ધારાસભ્યમાં તાકાત હોય તો વર્ષોથી ચાલતી આ બસ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!