શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં 26 જાન્યુઆરી 2024 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો.




જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા . શાળાના શિક્ષકશ્રી પરેશભાઈ બાવળિયા દર વર્ષે મહાદેવ, રામદેવ પીર, વગેરે વેશ ધારણ કરતા હોય છે, આ વર્ષે રામાયણ ભજવવામાં આવી, જેમાં તેઓએ રાવણનો વેશ ધારણ કરી તેમના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ગામલોકોએ સાથ સહકાર આપી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
