એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું
ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ યાત્રિકોના સબંધીઓને નમ્ર વિનંતી છે કે હમણાંની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ 


ભારતના દરેક એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે જેથી તમામ હજ યાત્રિકો તથા તેમના સગા-વહાલાઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તેઓ સુરક્ષાને ધ્યાને લઈને એરપોર્ટ પર પોતાની સાથે વિદાય આપવા આવતા સગા-સંબંધીઓ હાજી દીઠ ફક્ત ૪ થી ૫ લોકોની સંખ્યામાં મર્યાદિત રાખે. શક્ય હોય તેટલું ઓછા લોકોએ જ એરપોર્ટ સુધી યાત્રિકોને વિદાય આપવા આવે. વિશેષ કરીને, નાના બાળકોને બાળકોને એરપોર્ટ સુધી સાથે ન લાવવા વિનંતી છે. તમામ યાત્રિકો તથા તેમના પરિવારજનોને સહયોગ આપવા ગુજરાત રાજ્ય હજ સમિતિ અપિલ કરે છે…

