રાજેન્દ્રસિંહ જાડેજા અને વજુભા ઝાલાનો પત્ર
વાંકાનેર: હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને
વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે અને આ
આંદોલનમાં અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેવી શક્યતા છે જેથી સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવા અને આચારસંહિતાનો ભંગ ન કરવા
અપીલ કરી છે. અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને વાંકાનેર રાજપૂત સમાજના પ્રમુખ ઝાલા વજુભા સજુભા દ્વારા
સોશ્યલ મીડિયાના મધ્યમથી અને પત્ર લખીને જણાવ્યું છે કે, અત્યાર સુધી લોકશાહીની ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા
શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા
કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે. જેથી આવું કંઈ ન બને તે માટે રાજપૂત સમાજના લોકોએ તા ૭ ના રોજ ચૂંટણીનું મતદાન
લક્ષ્યમાં રાખવાનું છે અને શિસ્તબદ્ધ રીતે રાજપૂત સમાજ દ્વારા મતદાન કરવામાં આવે તેવી આપીલ કરેલ છે અને સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં
ન લેવો તેમજ આચારસંહિતાનો ભંગ ન થાય તેના માટે કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.