વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા
આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યારબાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી
પ્રકરણના આરોપીના શરતી જામીન મંજુર કરાવેલ છે. જેમાં આરોપી તરફે મોરબીના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા તથા વકીલ દેવ કે. જોષી
રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્વાન વકીલ ફેનિલ જે.ઓઝા દ્વારા ધારદાર દલીલો
કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે. આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનિલભાઈ જે. ઓઝા તથા યુવા વકીલ દેવીપ્રસાદ (દેવ) કે. જોષી, શહેનાઝબેન ડી. સુમરા તથા એલ. આર. ગઢવી રોકાયા હતા.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો