મચ્છુ ડેમની કેનાલમાંથી મળી લાશ
વાંકાનેર: તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત (પટેલ) નામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે મંગળવારથી ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા, જેઓ લાપતા થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા 



શોધખોળ કરવામાં આવી હતી, દરમિયાન આજરોજ બપોરના સમયે ગામ નજીક વૃદ્ધના ઘર પાસે આવેલ મચ્છુ ડેમની કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. જેમાં ૨૪ કલાક કરતા વધારે સમયથી વૃદ્ધની લાશ પાણીમાં હોવાની પ્રાથમિક વિગતો બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…