કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરના બંને સાંસદ કૃપયા ધ્યાન આપે

લાંબાવાયેલી ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળવો જોઈએ

વાંકાનેર: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપેલ માહિતી મુજબ લાંબા અંતરની 6 ટ્રેનો જે અમદાવાદ સુધી જ આવતી હતી, તે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની માત્ર જાહેરાત થઇ છે,

હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન બહાર પડે તે પહેલા આ ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળે, એ માટે અત્યારથી જ બંને સાંસદ રજૂઆત કરે, એવી લોકલાગણી છે. કારણ કે નોટિફિકેશન બહાર પડયા પછી વાંકાનેર સ્ટોપ અપાવવું બહુ અઘરું અને વિલંબિત થઇ પડતું હોય છે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની 6 ટ્રેનો લંબાવાઈ છે, જેમાં
ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, (આ ટ્રેન ઉજ્જેન, પ્રયાગરાજ, વારાણસી, કાશી થઇને પટના જાય છે)


ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, (આ ટ્રેન સુરત, નંદુરબાર, ખંડવા, જબલપુર, સતના થઇને પ્રયાગરાજ જાય છે)
ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, (આ ટ્રેન ઉજ્જેન, બીના, આસનસોલ થઇને કોલકાતા જાય છે)
ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, (આ ટ્રેન સુરત, કલ્યાણ જંકશન, પુણે, થઇને કોલ્હાપુર જાય છે)


ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ (આ ટ્રેન નાગપુરથી અકોલા, જલગાઉં, સુરત થી અમદાવાદ આવે છે)
ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (આ ટ્રેન ગોધરા, રતલામ, મથુરા થઈને હઝરત નિઝામુદ્દીન જંક્શન જાય છે)

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!