વાંકાનેર: વાંકાનેરથી રાતીદેવરી રોડને જયારે વાર વાંકાનેર શહેરનો રાજપથ બની રહ્યો હતો, ત્યારે આ રોડને રાજપથમાં સમાવેશ કરી ડામરકામ કરવામાં આવ્યું હતું, બીજી વાર રિફ્રેશિંગ કામ ઠેઠ રાતીદેવરી ગામ સુધી કરવાને બદલે આંચકાજનક રીતે નેહાસિયાના નાલા સુધી જ કરી આગળના રોડ પર રિફ્રેશિંગ કામ છોડી દેવામાં આવ્યું હતું. જો કે બીજીવારનું રિફ્રેશિંગ વખતનો રોડ પરનો ડામર ઉખડી ગયો છે…
તાજેતરમાં પડેલા વરસાદના અને અગાઉ ઉખડી ગયેલ ડામરના કારણે હાલ મસ મોટા ખાડા પડી ગયા છે, વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આગળ-પાછળ આવતા વાહનો સાથે અકસ્માતના ભયના ઓથાર નીચે વાહનચાલકો ખાડા તારવી રહ્યા છે. આ રોડ રાતીદેવરી ઉપરાંત વડસર, જડેશ્વર, સજનપર, ધુનડા, કોઠારીયા, ટોળ, અમરાપર, ટંકારા, હડમતીયા, લજાઈ વગેરે ગામને જોડી રહ્યો છે અને રોજના અનેક વાહનોનો આવરો-જાવરો હોય છે. રોડ પર રિફ્રેશિંગ કરી વાહન ચલાવવા લાયક બનાવવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.