6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે !
રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી હોય તેવા સમયે વેસ્ટર્ન રેલ્વે મંત્રાલય મુંબઈ દ્વારા રાજકોટ ડીઆરએમને
જાણ કરી હાલ 6 માંથી 4 ટ્રેનોને અમદાવાદથી રાજકોટ રેલ્વે (જં) સુધી લંબાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જાણ કરી છે. રેલ્વે મંત્રીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મુસાફર જનતાને દેશના અન્ય રાજયોની જોડતી લાંબા અંતરની રેલ સુવિધા પુરી પાડવા અમદાવાદ, કોલકતા,
કોલ્હાપુર, એકસપ્રેસ, પટના એકસપ્રેસ, પ્રેશના એકસપ્રેસ, પ્રયાગરાજ, એકસપ્રેસ, હજરત નીઝામુદ્દીન એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ વખતો વખત આ ટ્રેનો રાજકોટ (જં) સુધી લંબાઈ તેવી વિવિધ સંગઠનો અને વાંકાનેરના
કેસરીદેવસિંહે (સાંસદ) સહિત રાજકિય આગેવાનો દ્વારા રેલ્વે મંત્રાલય સમક્ષ વખતોવખત રજુઆત કરી હતી. આખરે વેસ્ટર્ન રેલ્વે મુંબઈ વિભાગે હાલ છ માંથી ચાર સાપ્તાહિક ટ્રેનોમાં અમદાવાદ-કલકતા એકસપ્રેસ, કોલ્હાપુર એકસપ્રેસ (નાગપુર) ટ્રેનોને તાત્કાલીક અસરથી
રાજકોટ સુધી લંબાવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જાણ કરતા આગામી દિવસોમાં ઉપરોકત ચારેય સાપ્તાહિક ટ્રેનો અમદાવાદથી રાજકોટ સુધી લંબાઈ તેવા સંજોગો ઉજળા બન્યા છે.