જાડેજા યુવાન સાથેની મકનસર પાસેની ઘટના
વાંકાનેર: કચ્છથી વાંકાનેર આવતા એક યુવાનનો મકનસર ગામ પાસે અકસ્માત થતા ઇજા થયેલ છે….
જાણવા મળ્યા મુજબ કચ્છના ઉદરોડી ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા દર્શનસિંહ સૂર્યસિંહ જાડેજા નામનો 28 વર્ષનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસેથી કારમાં આવતો હતો. ત્યાં અચાનક કૂતરું આડુ ઉતરતા કારના સ્ટેરીંગ ઉપર કાબુ ન રહેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી…
તેઓ કચ્છથી વાંકાનેર આવતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બનેલ જેમાં ઈજા થતાં દર્શનસિંહને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

