કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખેડૂતોને ભેજ સૂકાયા બાદ કપાસ લાવવા CCI ની અપીલ

સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલાયા

રાજકોટ: વર્તમાન કપાસ સિઝન 2024-25માં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. કપાસના ખેડૂતોના હિતની રક્ષા કરવા માટે, સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ વિગત માટે ખેડૂતો કોટ-એલી મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતોની નોંધણી કે જેઓ તેની પેદાશો સીસીઆઈને લઘુત્તમ ટેકાના ભાવે (MSP ) વેચવા ઈચ્છે છે તેમની નોંધણી કપાસની સિઝનમાં માન્ય આધાર નંબરના આધારે ચાલુ રહેશે…

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

ગુણવત્તાના માપદંડોમાંનું એક એવું નિર્ધારિત કરે છે કે, જો ભેજનું પ્રમાણ 8% થી વધુ ન હોય, તો CCI કપાસના ખેડૂતોને સંપૂર્ણ MSP કિંમત ચૂકવશે. પરંતુ જો ભેજનું પ્રમાણ 8% થી વધુ હોય પણ 12% થી વધુ ન હોય, તો CCI 8% થી વધુ ભેજની પ્રમાણસર કપાત સાથે MSP કિંમત ચૂકવશે. તેથી CCI , કપાસના તમામ ખેડૂતોને સૂકાયા પછી કપાસ લાવવાની અપીલ કરે છે, જેથી વધુ પડતા ભેજને કારણે કોઈ કપાત કરવાની જરૂર ન પડે. જો કે, કોઈપણ સંજોગોમાં કપાસમાં 12% થી વધુ ભેજ પ્રમાણ ન હોવો જોઈએ. વધુ માહિતી માટે, ખેડૂતોએ શાખા કચેરીનો પણ સંપર્ક કરી શકે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!