વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.





આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વોરા, કાઉન્સીલર વિરાજભાઈ મહેતા, અશ્ર્વિનભાઈ જોબનપુત્રા, બ્રિજરાજસિંહ ઝાલા, અમિતભાઈ સેજપાલ, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ મેઘાણી, ડાયાલાલ સરૈયા, ચિરાગભાઈ સોલંકી, કિરાણા એસો. ઉ.પ્રમુખ લલીતભાઈ ભીંડોરા સહિત વિવિધ મોરચાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૂચનાઓ
(1) કમલ સુવાસ આપણા મોબાઈલમાં મેળવવા માટે જે તે વ્યક્તિએ ખુદ જ નીચે મુજબની સુચનાઓનો અમલ કરી જોડાવવું પડે છે. અમે કોઈને એડ કરતા નથી.
(2) કમલ સુવાસ વોટ્સએપ ગ્રુપના અન્ય કોઈને પણ એડમીન બનાવતા નથી.
(3) કમલ સુવાસ ગ્રુપમાં રજુઆત અંગેના સમાચાર મુકવા માટે રજૂઆતના પત્રનો ફોટો મોકલવો
(4) કોઈએ પણ વિડિઓ મોકલવો નહીં, ફોટા જ મોકલવા
