વાંકાનેર: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં રહેતો ક્રિકેટનો ખેલાડી આદિલ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યો છે, તેમનું પર્ફોમન્સ અવારનવાર નોંધપાત્ર રહ્યું છે અને મોરબી જિલ્લાની ટીમમાં પણ તેઓ પસંદ થયો હતો.
ક્રિકેટની રમતમાં આઈપીએલનું જે રીતે આયોજન થાય છે તે રીતે અન્ય ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મળે એ માટે આઈ.એન.સી.એલ.નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈપીએલની માફક ખેલાડીઓના ઓપ્શનનું આયોજન થાય છે અને જે તે ટીમમાં ખેલાડીઓ ખરીદતી હોય છે. આ આઇ.એન.સી.એલ.ના ઓપ્શનમાં વાંકાનેરનો ખેલાડી આદિલ કડીવારને હરિયાણાની ટીમે ખરીદયો છે અને તે હવે હરિયાણીની ટીમ તરફથી આઈએનસીએલમાં “બેટી બચાવો” ટ્રોફીમાં રમશે. આ “બેટી બચાવો” ટ્રોફી હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ગ્રાઉન્ડમાં રમાશે.