પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે પ્રમાણે છે…(1) 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદરથી ચાલવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01:10/0112 કલાકને બદલે 0113/0115 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકના બદલે 03.30/0332 કલાક. થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાકે રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/ પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી…
(2) 30,08,2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી દોડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે વિરમગામ જંકશન પર 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક અને ચાંદલોડીયા બી કેબીન ખાતે 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાકનો રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40ને બદલે 5.50 વાગ્યે પહોંચશે.
(3) 04.09.2024 થી, ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર મહામના એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન/ પ્રસ્થાનનો સમય અનુક્રમે 02:10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકનો રહેશે. આ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ વધુ વિગત માટે રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે.