મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે, જેમાં વાંકાનેરના નીચે મુજબનો સમાવેશ થાય છે.
વાકાનેર ઇ-ધરાના યુ.આર. શંકરિયાની પ્રાંત જમન, બિનખેતીના એન.એસ.સોલંકીની હિસાબી, ડિસ્પેચના બી.જે.જાડેજાની મેજિસ્ટ્રીયલ, મધ્યાન ભોજનના વી.બી. કણઝારીયાની એડીએમ, હિસાબીના સી.પી. પટેલની જમન કલેકટર, વાંકાનેર રજીસ્ટ્રીના એસ.બી. સોલંકીની ઇ ધરા વાંકાનેર, વાંકાનેર મામલતદારના એચ.પી.જાડેજાની વાંકાનેર પ્રાંત, બદલી કરવામાં આવી છે.