વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં યુવાને આપઘાત કરી લીધો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26નામના યુવાનને તેની પત્ની સાથે વતનમાં જવા મામલે મનદુઃખ થતા લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.