વાંકાનેર તાલુકાના ટૂંકમાં સમાચાર નીચે મુજબ છે…
વાંકાનેર, હળવદ, ટંકારામાંથી 1-1 અને મોરબી તાલુકામાંથી 2 મળી કુલ 5 દર્દીઓ રિકવર થયા છે. જેને પગલે આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ જિલ્લામાં 36એ પહોંચી ગયા છે.
સિંધાવદર સૌરાષ્ટ્ર સમરણ આશ્રમ જવાના રસ્તે કેનાલ નાલા પાસે આરોપી વિજુબેન ગેલાભાઇ જખાનીયા રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
વાંકાનેરમાં આરોપી કમલસિંહ આત્મારામ બલાઇ લાકડધાર ગામની સીમ,રેસા સીરામીક સામ પેન્ટના નેફામાં એક ધારદાર છરી રાખી મળી આવી હતી.
કેરાળાના બોર્ડ પાસે હાઈવે નજીક નાલા પાસે ગઈ કાલે એક એક્ટિવા મોટર સાઇકલ અકસ્માત ગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું, જેના પરથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી, જે મરણ જનાર ઈરફાન યુનુશભાઈ હેરંજા ઊં.વ. 40, રહે. ભોરણીયા શેરી વાંકાનેર વાળા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.