વાંકાનેર: અહીં મિલ પ્લોટ રેલવે સ્ટેશન રોડ પર આવેલ શાંતિનગરમાં રહેતા ઈરફાનભાઈ મહંમદહુસેન પીપરવાડીયાના દશ વર્ષની દીકરી તનાઝે આખા રમઝાન માસના રોઝા રાખ્યા છે, તેમના પિતાશ્રી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, 



એમની માતાનું નામ રજિયાબેન છે, તનાઝ હાલ શારદા વિદ્યાલય (ભાટિયા સોસાયટી) માં પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે, અને દર વર્ષે પરીક્ષામાં પ્રથમ દશમાં તેમનું પરિણામ આવે છે, ત્રણ ભાઈ-બહેનમાં તે વચેટ છે, અલ્લાહપાક દીકરીની આ ઈબાદતને કબૂલ કરે (આમીન)

