વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકટરીમાં પાવડર નીચે દબાઈ જતા શ્રમિકના મૃત્યુનો બનાવ બનેલ છે.
આ અંગે જાણવા મળ્યા મુજબ કાસાગ્રેસ સિરામિક ફેકટરીમાં સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અનુરાગ મંગલી શેષપુર ઉ.26 નામના શ્રમિક યુવાન ઉપર પાવડર પડતા દટાઈ જવાથી અનુરાગનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો