કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસિયા કારખાનામાં ત્રીજા માળેથી પટકાતાં મોત

વઘાસિયા કારખાનામાં ત્રીજા માળેથી પટકાતાં મોત

શ્રમિકને દારૂ પીવાની લત હોવાની પ્રાથમિક માહિતિ

વાંકાનેર: તાલુકામાં આવેલા વઘાસિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની એક સ્થાનિક કંપનીમાં રહીને મજૂરી કામ કરતા 22 વર્ષીય પરપ્રાંતીય યુવાનનું ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક મૂળ મધ્યપ્રદેશના ઉજૈનનો વતની હતો અને અહીં રોજગારી અર્થે આવ્યો હતો. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ, સંદીપ કંપની પરિસરમાં જ રહેતો હતો. ગત દિવસે તે અકસ્માતે ત્રણ માળ જેટલી ઊંચાઈએથી સીધો જમીન પર પટકાયો હતો. પટકાવાને કારણે તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો અને કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે તેની હાલત નાજુક હતી અને હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન તેણે ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કારણ બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક સંદીપને દારૂ પીવાની લત હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો, તે સમયે પણ સંદીપ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે. નશાની હાલતમાં પોતાનું સંતુલન ગુમાવવાને કારણે તે ત્રણ માળની ઊંચાઈએથી નીચે ફેંકાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. હાલમાં વાંકાનેર પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ કાગળો તૈયાર કરી, યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!