રાજકોટ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું
વાંકાનેરના ઢુવા પાસે કારખાના નજીક ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા નજીક સિરામિક કારખાના પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે.
જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ચોકડી પાસે આવેલ વરમોરા સીરામીક પાસે વિશાલ ઉર્ફે ગોપાલ ચન્નાભાઈ સાગઠીયા (૨૨) રહે. પલાસડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ ઝેરી દવા પી લીધી હતી
જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થતા પ્રથમ સારવાર માટે તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જોકે, રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો છે તે દિશામાં હવે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. ઝાલા ચલાવી રહ્યા છે.