કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરના રાજવી અને કેસરીદેવસિંહના કાકાનું અવસાન

બેસણું સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે

વાંકાનેર : વાંકાનેરના માજી રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુંસિંહજી ઝાલાના પુત્ર કુ. ભારતેન્દ્રસિંહજી ઝાલાનું 92 વર્ષની વયે તા. 15ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા હાલના વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના કાકા થાય છે. સ્વર્ગસ્થ સ્મશાનયાત્રા ગરાસિયા બોર્ડિંગ ખાતેથી નીકળી હતી જેમાં ક્ષત્રિય સમાજ સહિત અનેક સંતો મહંતો તથા ગ્રામજનો જોડાયા હતા. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે રાખેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!