વાંકાનેર: ધમલપર પાસે મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)નો આજે ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શિરકત કરી હતી.
ગઈ કાલે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ચઢાવવા નવા ધમલપરથી ઝુલુસના રૂપમાં શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ આવ્યા હતા. ગઈ કાલે અને આજે પણ ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. બહારગામથી પણ એટલાજ ભાઈ અને બહેનોએ લાભ લીધો હતો. દાદુપીર બહુ ઝલાલી પીર છે, સાચા દિલથી દુઆ કરનારની ઉમ્મીદ પુરી થાય છે. દાદુપીરના ઇતિહાસ માટે અહીં ક્લિક કરો. → ધમલપર: દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)