વાંકાનેર: અહીં દિવાનપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાની મગજની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો….
જાણવા મળતી માહિતી મુજબ દિવાનપરા વિસ્તારમાં રહેતા નીમરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના યુવાને પોતાના ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને મગજની બીમારી હોય તે બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે આ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે, પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે…