રાજકોટ તા. ૨૨ : કૃક્ષિ ક્ષેત્રે નાની વયે ડોકટર ઓફ ફીલોસોફી (પીએચ.ડી.)ની પદવી મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવનાર ડો. થોભણ ઢોલરીયાની ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ડો. ઢોલરીયા એક એવા કૃષિ વિજ્ઞાનિક છે કે જેમના દ્વારા ૨૦ જેટલી બી.ટી. કપાસની વધુ ઉત્પાદન આપતી જાતો શોધાયેલી છે.
તેમની સંસ્થા મારફત ભારતના ૧૦ રાજયોમાં ખેડુતોને ગુણવતાયુકત બિયારણ છેલ્લા ૨૦ વર્ષથી પુરૂ પાડવામાં આવે છે. ગુજરાતના ખેડુતોને ખેતીની સમજ અને વધુ ઉત્પાદન લઇ શકાય તે માટે અનેક શિબિરો યોજી ચુકયા છે.
કમલ સુવાસ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે.