વાંકાનેર: શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા વૃદ્ધાને હાર્ટ એટેક આવી જતાં મરણ નીપજેલ છે….

જાણવા મળ્યા મુજબ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન દેશળભાઈ પરમાર (ઉ.વ. 67) નામની વૃદ્ધા મહિલા ગઇકાલે સાંજે પોતાના ઘરે સંડાસ બાથરૂમ હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવી જતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતા અને સારવાર માટે

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…..
