મોરબી સગાના ઘરે ગયા હતા
વાંકાનેર: અહીં નાની બજારમાં રહેતા તારાબેન નંદલાલ ગોહેલ (ઉ.66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને 



તે તેના સગાના ઘરે જતા બેભાન થઈ ગયા હતા. જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે…

