વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની ગઈ કાલે તા.16/11/24 ને શનિવારનાં રોજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જનરલ મીટીંગનું આયોજન વાંકાનેર વાણંદ સમાજના મંદિરે કરવામાં આવ્યું હતું..
આ જનરલ મિટિંગમાં તમાંમ સભ્યોની હાજરીમાં પ્રમુખ તરીકે ખીમજીભાઈ રાછડીયા અને ઉપ પ્રમુખ તરીકે જયેશભાઈ પરમાર તેમજ મંત્રી તરિકે રસિકભાઈ ખોરજાની વરણી કરવામાં આવી હતી. સાથોસાથ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના સભ્યો દ્વારા નવા હોદદેદારોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું…