પીપળીયારાજ ખાતે યોજાયેલ કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ
વાંકાનેર: ગઈ કાલે તા.25/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ના કુલ

30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા નિબંધ લખવામાં આવેલ, ત્યારબાદ RBSK ટીમના મેડીકલ ઓફીસર ડો. રવિરાજ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ. સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ,

ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે હાઈસ્કૂલના આચાર્ય અલીભાઈ માથકીયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ તથા

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો. મહેજબીન ગઢવાળા, FHW પૂર્વીબેન પરમાર, ફાર્માસિસ્ટ સોયબ વકાલિયા અને પ્રા.આ.કેન્દ્ર પીપળીયારાજના એફ.એચ.એસ હફીજાબેન ચૌધરી, એફ.એચ.ડબલ્યુ પરવીનબેન વડાવીયા, એમ.પી.એચ.ડબલ્યુ તાહિરભાઈ શેરસિયા પણ ઉપસ્થિત રહેલ,અને કાર્યક્રમમાં સહયોગ કરેલ.


