કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

વાંકાનેર: તા. ૦૩/૦૪/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં

ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું અને વક્તવ્ય આપ્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક સતીશભાઈ સરડવાએ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરીને માતા પિતાનું નામ રોશન કરવાના આશીર્વચન આપ્યા હતા. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ બાળકોના જીવનમાં પ્રાથમિક શાળાના શિક્ષણનું મહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

વિદાય કાર્યક્રમમાં ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ શાળામાં પોતાના યાદગાર પ્રસંગો અને અનુભવોને યાદ કર્યા હતા. વિદાય કાર્યક્રમના અંતે શાળા તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. વિદાય કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો નરેન્દ્રભાઈ કાલરિયા, સતીશભાઈ સરડવા અને તૌસિફભાઈ બાવરા, સવિતાબેન કોટવાલ, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરશિયાએ ભારે જહેમત ઊઠાવી હતી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!