નેનો યુરીયા ખાતર આપવામાં આવે છે
વાંકાનેર: મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા સાથે વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાએ જીલ્લા ખેતી નીયામક સાહેબને રજુઆત કરી હતી કે મોરબી જીલ્લાના ખેડુતોને ખાતર મળતું નથી અને મળે તો નેનો યુરીયા ખાતર આપવામાં આવે છે,



સરકારશ્રીના પરીપત્ર મુજબ નેનો યુરિયા બંધ કરવા અને આજે જે ખાતરના ભાવમાં વધારો કરવામા આવ્યો તે પાછો ખેંચવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી, આ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….