ઘરવખરી બળીને ભસ્મીભુત
વાંકાનેર: આજે વહેલી સવારે દિવાનપરા સ્થિત વૃજ રેસીડેન્સીના પાંચમાં માળે ભયાનક આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે વૃજ રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતા લેબોરેટરી ટેકનીસીયલ ચેતનભાઈ માંત્રાણીના ફલેટમાં સોટસર્કીટના કારણે આગ ફાટી નિકળતા અફરા તફરી મચી ગઇ હતી.
આ આગની પાડોસમાં રહેતા શ્યામભાઇ કોટક, રાકેશભાઇ ડી. ઝાલા તથા તમામ ફલેટ ધારકો એકત્રીત થઇ ફાયર સેફટીની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળ રહયા હતા. ઘરની તમામ ઘરવખરી બળી ભસ્મીભુત થઇ જતા લાખોની નુકશાની થઇ હોવાનું જાણવા મળી રહયું છે કોઈ જાનહાનિના સમાચાર નથી….