વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક- એકના કોઠારીયા ગામે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં
સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન, હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ સગર્ભા બહેનોને વ્યસનોથી દૂર રહેવા સમજાવેલ તથા આ કાર્યક્રમમાં સેજાના મુખ્ય સેવિકા કારાવદરા રેખાબેન આરોગ્ય વિભાગમાંથી FHW મદીનાબેન, MPHW સોયેબભાઈ, શિક્ષણ વિભાગમાંથી આચાર્યશ્રી રમેશભાઈ તેમજ સગર્ભા બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ, ગામની દૂધ સહકારી મંડળીના સભ્યશ્રી વકાલીયા રસુલ રહીમભાઈ તરફથી સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવેલ હતું…