કચ્છ ઝોન ચારમાં અને ગુજરાતનો કેટલોક ભાગ ઝોન પાંચમાં આવે છે: પેટાળની હલચલ ચિંતાનો વિષય
ફેબ્રુઆરીમાં 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સુરતમાં કાલે મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અને કાલે બપોરે (શનિવાર) 1.51 ક્લાકે કચ્છમાં ભૂકંપ અનુભવાયો છે. સિસ્મોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.

સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા. જોકે આ પહેલી આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે.

તુર્કીના ભૂકંપની આગાહી કરનાર સંશોધક ફ્રેન્ડ હીગરીન્ટ્સ હવે ભારત વિશે પણ આવી જ દાવો કર્યો છે. એક વીડિયોમાં ફ્રેન્ક કહે છે. આવનારા થોડા દિવસીમાં એશિયાના જુદા જુદા ભાગોમાં ભૂગર્ભ ગતવિધિની સંભાવના છે. આ હિલચાલ પાકિસ્તાન અને અઘાનિસ્તાન થઇને હિંદ મહાસાગરની પશ્ચિમ બાજુએ થઈ શકે છે. ભારત તેમની વચ્ચે હશે. એટલે તુર્કી જવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા છે. આગામી થોડા દિવસોમાં ચીનમાં ભૂકંપ આવી શકે છે. જોકે તેની આગાહીમાં ફ્રેન્કે ન તો ભૂકંપની તીવ્રતા અને ન તો તારીખ જણાવી છે.

ભારતનો 59% વિસ્તાર ભૂકંપની સંભાવનાના કારણે ખતરામાં છે. આનો અર્થ એ થયો કે દેશનો 5 ટકા વિસ્તાર ભૂકંપની ઉચ્ચ સંભાવના ધરાવતા ચાર ઝોનમાં સામેલ છે. તેમાંથી 11 ટકા વિસ્તારો ભૂકંપ ગ્રસ્ત ઝોન-5માં આવે છે, એટલે કે સૌથી વધુ સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં આવે છે. તેમાંથી 18 ટકા વિસ્તારો ભૂકંપ ગ્રસ્ત ઝોન-4માં આવે છે. જ્યારે 30 ટકા ઝોન-2 અને ઝોન-3 માં આવે છે. આવી સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે આપણા દેશમાં વિનાશક ભૂકંપનો ખતરો કેટલો છે.

ભારતમાં ભૂકંપ ઝોન-5 ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. આ ઝોનમાં કાશ્મીર ખીણ, પશ્ચિમ હિમાયલ, પૂર્વ ઉત્તરાખંડ, ગુજરાતનો કચ્છ પ્રદેશ, ઉત્તર બિહાર, ઉત્તરપૂર્વના તમામ રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.

ભૂકંપ ઝોન-4: જમ્મુ અને કાશ્મીરના ભાગો ઉત્તરાખંડના ભાગો લદ્દાખ, હિમાયલ અને હરિયાણા, પંજાબ, દિલ્હી, સિક્કિમ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાત, પશ્ચિમ ઘાટ પર મહારાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારો આ ઝોનમાં સમાવેશ થાય છે.
